વાંકાનેર નજીક ટ્રેનની મોટી દુર્ઘટના, અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડતા: બેના મોત, પાંચનો બચાવ
મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત
SHARE
મોરબીમાં અવની ચોકડી પાસે કેનાલનું નાલુ મોટુ કરવા કિશોરભાઇ ચિખલિયાની મંત્રીને રજુઆત
મોરબીના રવાપર ગામ નજીક આવેલ અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેથી કરીને લોકોને હાલાકીને દૂર કરવા માટે અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે નાલું મોટું કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા પાણી પુરવઠા મંત્રી રૂષીકેશ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અવની ચોકડી પાસે મોરબી મચ્છુ-૨ ની મેઇન કેનાલ નીકળે છે. આ કેનાલનું નાલુ નાનુ હોવાથી ત્યાં ટ્રાફિકજામ થાય છે અને ત્યાં વાહનો વધુ પડતા દોડતા હોવાથી કલાકો સુધી લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે અને લોકોની તકલીફને દૂર કરવા માટે મચ્છુ-૨ ની મેઈન કેનાલનું નાલુ મોટુ કરવામાં આવે તે જરૂરી છે