મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ, યુવાન ઇજાગ્રસ્ત


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ, યુવાન ઇજાગ્રસ્ત

મોરબી પંથકમાં હાલ તસ્કરો તેમજ ગુનેગારો માટે રેડુપડ હોય તેમ છાસવારે ક્રાઇમની ઘટનાઓ બનતી રહે છે જેમાં દુકાનના તાળા તોડીને લાખો રૂપિયાનો માલ સામાન ચોરી જવો, તેમજ ઘરફોળ ચોરી, વાહન ચોરી અને હાલ અનેક જગ્યાએ લૂંટના પણ પ્રયાસો સાંભળવા મળે છે.જોકે લુંટના બનાવોમાં ફરિયાદો નોંધાતી ન હોય પોલીસ નિષ્ક્રિય બની જાય છે અને તેનો ભોગ લોકો બને છે. એવો જ વધુ એક બનાવ મોરબીના પીપળીયા ચોકડી નજીક બન્યો હતો.જેમાં યુવાન રોડ ઉપર પોતાના ગામ સરવડ જવા માટે ઉભો હતો ત્યારે એક અજાણ્યુ બાઈક કે જેમા બે ઇસમો સવાર હતા તેઓએ યુવાનને પોતાની પાછળ બેસાડ્યો હતો અને બાદમાં આગળ જઇને રસ્તામાં બાઈક ઉભું રાખીને યુવાન પાસે રહેલ મોબાઈલની લુંટ ચલાવવા માટે યુવાનને માર મારવામાં આવ્યો હતો.જેથી ભોગ બનેલ યુવાન ખેતરમાં ભાગ્યો હતો અને તેને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.સદભાગ્યે તે બાજુના કારખાનામાં પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો માટે હાલ સ્થાનિકો તેમજ વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પોલીસ દ્રારા પેટ્રોલિંગ વધારવામાં આવે અને આવા લૂંટારૂતત્વોને ઝેર કરવામાં આવે.

મળતી માહિતી મુજબ પીપળીયા ચાર રસ્તા ઉપર મિલન હેર પાર્લર નામની દુકાન ચલાવતા ભરતભાઈ બાબરીયાની દુકાનનો કારીગર રાત્રે પોતાના ઘર સરવડ તરફ જતો હતો તે દરમિયાન એક મોટર સાયકલ ઉપર સવાર બે વ્યકિતઓએ છરી બતાવીને યુવાનને ફોન તેમજ રૂપિયા આપી દેવા ધમકાવ્યો હતો.રિંકુભાઈ રાજપૂત નામના ભોગ બનેલા કારીગરે હિંમત દાખવીને બૂમાબૂમ કરીને પીપડીયા ચોકડી તરફ દોટ મુકી.તો લુંટારૂઓ તેની પાછળ આવતાં રિંકુભાઇએ મોબાઈલ ફેંકી ખેતરમાં દોટ મુકી ભાગવામાં સફળ રહ્યો હતો અને સામાન્ય પત્થર તથા બાવળના કાંટા લાગ્યા હતા અને તે બાજુના કારખાના સુધી પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો.ભરતભાઈ બાબરીયાએ આ બાબતે માળીયા પોલીસને જાણ કરતાં પોલીસે પેટ્રોલિંગ વધારવાની ખાત્રી આપીને સારો રિસ્પોન્સ આપ્યો હતો.તેમજ કોઇ શંકાસ્પદ વ્યકિત જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ ધ્યાને આવતા રાત્રિના પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે અને જો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમ નંબર (૦૨૮૨૨) ૨૪૩૪૭૮ ઉપર અથવા માળીયા પોલીસ મથકે જાણ કરવા જણાવાયેલ છે






Latest News