મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે યોજાનાર કથા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈને શુભકામનાઓ પાઠવી


SHARE











મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે યોજાનાર કથા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈને શુભકામનાઓ પાઠવી

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના સમયે અવસાન પામેલા લોકોના મોક્ષર્થે કથાનું આયોજન કર્યું છે જેનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતુ જેથી કરીને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે

કોઈપણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે સક્રિય યોગદાન માટે હંમેશા તત્પર માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. અને મહાવિનાશક કોરોનામાં લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓના અવસાન થયા હતા અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે

આ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવ, દેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. અને આ કથા માટે મોરબી અને માળીયા તાલુકામાં લોકોને ગામડે ગામડે જઈને કાંતિભાઈ અને તેની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આટલું જ નહીં કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય હતા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા જેથી કરીને તેઓને તેની સાથે પરિવારિક સબંધ છે જેથી કરીને તેઓએ આ કથા માટે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ મોકલાવ્યું હતું જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે






Latest News