મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જેઠ-જેઠાણીનો જમીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જેઠ-જેઠાણીનો જમીન ઉપર છુટકારો

મોરબીના ખત્રીવાડમાં પરણીતાએ આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિત જે તે સમયે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી અને આ ગુનામાં આરોપી જેઠની હાઇકોર્ટમા જમીન અરજી મૂકવામાં આવી હતી જેના આધારે તેનો જામીન ઉપર છુટકારો થયેલ છે અને જેઠાણીનો આગોતરા જામીન ઉપર છુટકારો થયેલ છે

મોરબીના ખત્રીવાડમાં થોડા સમય પહેલા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (૨૨)એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મૃતક મહિલાના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાએ તેમના જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણયોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ)કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે.બધા ખત્રીવાડ શેરી નં.-૨ મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા

 

વધુમાં વકીલ પાસેથી મળતી માહિતી મુજબ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થવા છતા બાળક કેમ થતુ નથી..તેવા મેંણાટોંણા મારીને દુ:ખત્રાસ આપતા હતા જેથી સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાની દીકરીએ આપઘાત કર્યો હતો આ ગુનામાં પકાયેલ યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણની હાઇકોર્ટમા રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મહેનાઈઝબેન પરમાર દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં લઈને કોર્ટે યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણના ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કરવામાં આવેલ છે અને અગાઉ મૃતકની જેઠાણી અવનીબેન યોગેશભાઈ ચૌહાણની આગોતરા જામીન અરજી પણ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે.






Latest News