મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી


SHARE











હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી

યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયા દ્વારા કોંગ્રેસ છોડીને ગયેલા હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી ઘણા આગેવાનો ભાજપમાં જરહ્યા છે તેવામાં યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અને વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ પર ઘણા આક્ષેપ કર્યા છે અને વિશ્વનાથસિંહ વાઘેલાએ હજુ ઘણા રાજીનામાં પડશે તેવું નિવેદન આપ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયાએ કોંગ્રેસ છોડીને ગયેલા વિશ્વનાથસિંહ વાઘેલાને જવાબ આપતા કહ્યું છે કે, તેને કોંગ્રેસીઓનું અપમાન કર્યું છે ત્યારે આગામી દિવસોમાં હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવામાં આવશે અને તેને ગુજરાતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

#hardikpatel #congress #bjp #vishvanathsinh






Latest News