મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા ઘનશ્યામસિંહ ઝાલાનું સન્માન


SHARE











મોરબીની શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા ઘનશ્યામસિંહ ઝાલાનું સન્માન

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા થોડા દિવસો પહેલા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ સન્માન સમારોહ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા અને ખાસ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલ નારાયણ સેવા સંસ્થાના સક્રિય કાર્યકર અને નારાયણ સેવા સંસ્થાના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ એવા રંગપર ગામમા જ વતની ઘનશ્યામસિંહ સજુભા ઝાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.મોરબીના રંગપર ગામે આવેલ શ્રી મરવડ કેળવણી મંડળ સંચાલિત શ્રી રંગપર માધ્યમિક શાળાનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં સમાજસેવા કરવા બદલ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ઘનશ્યામસિંહ સજુભા ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ગામના આગેવાન અને શ્રી મરવડ કેળવણી મંડળ રંગપરના પ્રમુખ દિલુભા ઝાલા, શાળાના આચાર્ય એન.એમ.સદાતીયા, ગામના સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, બ્રહ્મઅગ્રણી એન.એન.ભટ્ટ, રાજપુત સમાજના આગેવાન જ્યોતિસિંહ જાડેજા, શિક્ષક દિનેશભાઈ વડસોલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. શાળામાં ભણી ચૂકેલા અને હાલ વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા લોકોને આમંત્રિત કરીને શાળા પરિવાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ઘનશ્યામસિંહ ઝાલાનું પણ સન્માન કરાયું હતું.






Latest News