મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા શ્રી રામનામ જપ મહાયજ્ઞનો સોમવારથી પ્રારંભ


SHARE











મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા શ્રી રામનામ જપ મહાયજ્ઞનો સોમવારથી પ્રારંભ

શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેવળિયા સંચાલિત મોરબી મુકામે પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પારંભ થશે જે મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે.

જે અખંડ ધૂન નિમિતે પંચકુંડી શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞ, અખંડ જ્યોત શોભાયાત્રા, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ધ્વજા પૂજન, જ્ઞાનસભા, સંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ યોજાશે જેમાં તા.૫ ના રોજ સવારે ૫ થી ૧ વાગ્યા સુધી મહાયજ્ઞ, સવારે ૮ :૩૦ થી ૧૧: ૩૦ સુધી શોભાયાત્રા, જે રાજપર, મોરબી નરસંગ મંદિરે આરતી કરીને અખંડ રામધુન સ્થળ પર પહોંચશે બપોરે ૧૨: ૩૦ કલાકે ફળાહાર પ્રસાદ તેમજ બપોરે ૧: ૩૦ થી ૩ સુધી હનુમાન ચાલીસા પાઠ, બપોરે ૩: ૩૦ થી ૬: ૪૫ સુધી જ્ઞાનસભા, સાંજે ૬: ૪૫ કલાકથી અખંડ શ્રી રામધન પ્રારંભ થશે અને સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે જે કાર્યક્રમ ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ, વાવડી રોડ મોરબી ખાતે યોજાશે.જે ધાર્મિક મહોત્સવમાં અધ્યક્ષસ્થાને પ.પુ.ડો. શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, પૂર્વ પ્રમુખ બી.એચ.ઘોડાસરા, હંસરાજ હાલપરા, નારણભાઇ ભાડજા, વિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહેશે.તમામ જ્ઞાતિના આગેવાનો, સમાજ શ્રેષ્થીઓ, તેમજ રાજકીય અગ્રણીઓને અખંડ જ્યોતમાં દિવેલ પૂરવા તેમજ ધર્મસભામાં સહભાગી બનવા સંત શ્રી નાથાબાપા ભગતવતી બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણી, રમેશભાઇ જીવરાજભાઈ રાણીપા તેમજ તમામ પ્રતિનિધિઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.






Latest News