મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા


SHARE







મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમ ગૌશાળા કે જયાં ગંગૈશ્રવર મહાદેવ મંદિર પણ આવેલ છે આ ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે અને દરરોજ સાંજે ગાયનુ દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના ખાટલે જઈને આપવામાં આવે છે અને આ કામ કરતાં લોકો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે દરરોજનુ ૬૦ લીટર દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને સેવકો દ્વારા આપવામા આવે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અહી ૨૦૦ જેટલી ગાયો છે અને મંડળના સ્વયં સેવકો પૈકીનાં કાંતિભાઈ દેત્રીજા, દિનેશભાઇ અને મનોજભાઇ સહિતનાઓ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવે છે અને ગૌશાળાને આર્થિક મદદ કરવા માટે કાંતિભાઈ (૯૯૨૫૪૮૪૮૫૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે






Latest News