વાંકાનેર પાસે ટ્રેલરની પાછળના ભાગમાં ટ્રક ઘૂસી ગયો: બે વ્યક્તિને ગંભીર ઇજા
મોરબીના જીવાપર (ચ) ની શાળાની તબદીલીની અરજી સામે ખોટા નિવેદનો લેવાયાની રજૂઆત
SHARE
મોરબીના જીવાપર (ચ) ની શાળાની તબદીલીની અરજી સામે ખોટા નિવેદનો લેવાયાની રજૂઆત
મોરબીના જીવાપર (ચ) ગામના લોકો દ્વારા શાળાને તબદીલ કરવાની અરજી આપી હતી જેની સામે કેટલાક લોકોના નિવેદન લેવામાં આવેલ છે જે ખોટા હોવાની ગ્રામજનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તેઓએ જણાવ્યુ છે કે, ગામની પ્રાથમિક શાળાને તબદીલ કરવા અરજી કરી હતી જેથી અધિકારીને ત્યાં મોકલ્યા હતા અને તેને અમુક તત્વોએ નિવેદન આપેલ છે જે ખોટા છે અને તેમના બાળકો જીવાપર ગામની સરકારી શાળામાં ભણતા નથી આવા તત્વોના નિવેદનો ધ્યાનમાં લેવામાં ન આવે તેવી ગામના લોકોએ માંગ કરી છે હાલમાં જીવાપર ગામની મધ્યમાં શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરનું બિલ્ડીંગ છે ત્યાં શાળાને તબદીલ કરવાની હોય પણ અમુક તત્વો દ્વારા સમાજવાડી બનાવી અને સ્કૂલની જમીન અને બિલ્ડીંગ પચાવી પાડવા માંગે છે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે