મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ


SHARE











વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ

વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવે તેવી માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી આંદોલન કરી રહ્યા છે જો કે, હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે જીતુભાઈના સમર્થનમાં જુદીજુદી સંસ્થાના લોકો પ્રતિક ઉપવાસ માટે આવે છે દરમ્યાન તેમના પત્ની અને વાંકાનેરના માજી પણ પ્રતિક ઉપવાસ ઉપર હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન ટોકન દરે આપવાની માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી નવ દિવસથી ઉપવાસ ઉપર બેઠેલ છે અને તેના સમર્થનમાં ઘણા લોકો અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેને ટેકો આપવામાં આવેલ છે અને તેની સાથે લોકો પ્રતિક ઉપવાસમાં પણ બેસે છે ત્યારે તેમના પત્ની અને વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણી પણ દરરોજ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને મંગલવારે તેઓ ઉપવાસી છાવણીએ હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને વાંકાનેર સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણીને બીપી અને ડાયબીટીસ વધી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી હતી જેમાંથી બે પાર્ટી હાલમાં સંતો સહિતનાઓની સમજાવટથી ખસી ગયેલ છે તો પણ મેદાન આપવા માટેનો કોઈ ફાઇનલ નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કરીને રાતે જીતુભાઇ સોમાણીએ વેપારીઓ  સહિતનાની મિટિંગ બોલાવી છે અને મેદાન માટે હજુ પણ તેનું આંદોલન ચાલુ જ છે






Latest News