મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કામ દરમિયાન મશીનમાં માથું આવી જતા મહિલા રાજકોટ ખસેડાયા


SHARE











મોરબીમાં કામ દરમિયાન મશીનમાં માથું આવી જતા મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલું ગડદા (સિમેન્ટ બ્લોક) પાડવાના કારખાનામાં ગડદા પાડવાના મશીનના માથું આવી જવાથી ગંભીરપણે ઘવાયેલા વસંતીબેન કમલેશભાઈ ભાંભર નામની ૩૫ વર્ષીય મજુર મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપી તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.જ્યારે મોરબીના શારદારનગર ગામના હંસાબેન રાયધનભાઈ કુંઢીયા નામના ૪૮ વર્ષના મહિલાને ગોરખીજડીયા ગામ પાસે વાહનમાં જતા સમયે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. તે રીતે જ જાંબુડીયા ગામના રજની ગોવિંદભાઈ ચાવડા નામના ૨૫ વર્ષીય યુવાનને (હુન્ડાઇ) hyundai ના શોરૂમ પાસે જાંબુડીયા નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રમેશ ડાયાભાઈ પરમાર નામનો ૨૭ વર્ષેનો યુવાન ઢુવાના ઓવરબ્રીજ પાસેથી જતો હતો ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા થતા તેને પણ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીની મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા હશનભાઈ સલેમાનભાઇ જામ નામના ૪૫ વર્ષના યુવાનને પીપળીયા ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ધાંગધ્રાના રહેવાસી મોહિત અશોકભાઈ જાદવ નામના ૨૬ વર્ષના યુવાનને ધાંગધ્રાના એસટી બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જીવાપર ગામ પાસે આવેલા એક્યુસ્ટોન કંપનીમાં રહેતો અને મજૂરી કામ કરતો ઉમેદ ઈશ્વરભાઈ બ્રાહ્મણ નામનો ૨૬ વર્ષનો યુવાન કોયો સિરામીકની પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાથી તેને ઇજાઓ તથા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માતના બનાવમાં પ્રેમસિંગ નેતાસિંગ સોઢા અને સરદારસિંહ ભૂરોસિંગ સોઢા રહે.બંને રવિપાર્ક સસાયટી મયુર સોસાયટી પાસે ત્રાજપર નજીક સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજા થતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના વજેપરમાં રહેતા કાંતાબેન બેચરભાઈ પરમાર નામના ૬૯ વર્ષીય વૃદ્ધા બાઇકમાં બેસીને પરત ઘરે જતા હતા ત્યારે ડાભીનગર પાસે તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.






Latest News