મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત


SHARE











મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત

ગુજરાતમાં ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ઘણા ઘર પડી ગયા હતા જેથી કરીને તે સમયે તાત્કાલિક જૂના ગામની બાજુમાં નવા ગામ બનાવવામાં આવ્યા હતા જો કે, ભૂકંપમાં નવા બનેલા ગામોના મકાનોના પ્લોટની સનદો હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને આ મુદે સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો ભૂકંપમાં પડી ગયા હતા જેથી કરીને તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામોના ગામ તળ મંજુર કરવામાં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામમાં પોતાના મકાનો બનાવેલ છે અને હાલમાં ત્યાં જ રહે છે. પરંતુ આવા ઘણા ગામોમાં સરકાર દ્વારા લોકોને પોતાના મકાનાના પ્લોટની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી. જેમાં જીવાપર (ચ.) માંથી નવા બનેલ કેશવનગરનો છે. આવા બીજી પણ ઘણા ગામ હશે જેથી કરીને આ તમામ ગામના લોકોને પ્લોટની સનદો તાત્કાલિક આપવામ આવે તેવી માંગ કરી છે અને જો સરકાર દ્વારા આ કામ નહીં કરવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છુટકે આંદોલન કરવામાં આવશે 






Latest News