હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી કેશોદ દવા લેવા માટે જતાં થેલેસેમિયાગ્રસ્ત બાળકે બસમાં જ દમ તોડ્યો


SHARE











મોરબીથી કેશોદ દવા લેવા માટે જતાં થેલેસેમિયાગ્રસ્ત બાળકે બસમાં જ દમ તોડ્યો

મૂળ કેશોદના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોકધામ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના પરિવાર સાથે કેશોદ નાના દીકરાને થેલેસેમિયા હોવાથી તેની દવા લેવા માટે અને સાતમ આઠમ કરવા માટે જતો હતો ત્યારે તેના નાનો દીકરો યુવાનની પત્નીના ખોળામાં સૂઈ ગયો અને અને બાદમાં તે દીકરો ઉઠ્યો ન હતો જેથી તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કેશોદના રહેવાસી અને હાલમાં મોરબીના સીરામીક કારખાનામાં કામ કરતા અને જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોકધામમાં રહેતા સંજયભાઈ ગરેજા જાતે ઘેડિયા કોળી તેના પરિવાર સાથે તેના નાના દીકરા પ્રિયાંશુ (ઉંમર ૨) ને થેલેસેમિયાની બીમારી હોવાથી દવા લેવા માટે અને સાતમ આઠમની રજા હોવાથી કેશોદ વતનમાં જતાં હતા ત્યારે બસમાં સંજયભાઈના પત્નીના ખોળામાં તેનો નાનો દીકરો પ્રિયાંશુ સુઈ ગયો હતો અને સુતા બાદ તે રાજકોટ પહોંચ્યા ત્યારે ઉઠ્યો ન હતો જેથી તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જોકે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવવાની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના નેકનામ ગામે જયુભાની વાડીએ રહીને મજૂરી કામ કરતો સુભાષ નટુભાઈ મહીડા (૨૪) નામનો યુવાન ગઈકાલે સવારે ૧૦ વાગ્યાના અરસામાં વાડીએ ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસ પાસેથી જાણવા માટે વિગત પ્રમાણે યુવાનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News