મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાં ટીવી જોતા સમયે નીચે પડી જતાં વૃદ્ધનું મોત


SHARE











વાંકાનેરમાં ઘરમાં ટીવી જોતા સમયે નીચે પડી જતાં વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકા પંચાયત સામે રહેતા વૃદ્ધ પોતાના ઘરની અંદર ટીવી જોતા હતા ત્યારે કોઈ કારણોસર તે પડી ગયા હતા જેથી કરીને તેનો દીકરો તેને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પંચાયતની સામેના ભાગમાં રહેતા ગણેશભાઈ ગોકળભાઈ શંખેસરિયા (ઉંમર ૭૫) ગઇકાલે રત્ન સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા અને તે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે નીચે પડી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેઓનો દીકરો મુકેશભાઈ ગણેશભાઈ વાકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે ગણેશભાઈ શંખેસરિયાને મૃત જાહેર કર્યા હતા જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા ધુળાભાઈ લઘરાભાઈ ડાભીના ઘરે તેઓના મિત્ર સોંડાભાઈ કાનજીભાઈ મેર (૬૦) રહે. રાતડીયા વાળા ગયા હતા અને ત્યારે છાશ ફેરવવાની મોટર ચાલુ કરવા જતા ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News