કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલ અને એસીબી દ્વારા તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલ અને એસીબી દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

મોરબી જીલ્લામાં આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું વીરપર પાસે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી તો મોરબી ટાઉનમાં તિરંગા યાત્રાનુ એસીબી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને મોરબી એસીબી પીઆઇ પ્રવીણ ગઢવી તથા સ્ટાફ અને વોરા સમાજ તથા મૌલાઇ રાજાસાહેબ દરગાહ સંસ્થાનના પી.આર.ઓ. જુઝેર એમ. અમીન અને વોરા સમાજ ના વિદ્યાર્થી તથા સ્થાનિક પ્રજાજનોએ ભાગ લીધો જે તિરંગા યાત્રા એસીબી પોલીસ સ્ટેશનથી વિશીપરા, મણીમંદિર, મયુરપૂલ, નટરાજ ફાટક, ગેંડાસર્કલ, તાલુકા પોલીસ સ્ટેશન થઈ પરત એસીબી પોલીસ સ્ટેશન આવેલ. તિરંગા યાત્રા દરમ્યાન  ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને લાચ રૂશ્વત વિરોધ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી






Latest News