મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે  નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે


SHARE











મોરબીમાં કાલે  નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ અને રાષ્ટ્રસેવાને સમર્પિત ઇન્ડિયન લોયોનેશ ક્લબના સયુંકત ઉપક્રમે આઝાદીના ૭૫ માં વર્ષ નિમિતે વિદ્યાર્થીઓમાં ભારતની અસ્મિતા અને દેશ પ્રત્યે ગર્વ થાય તેવા ઉમદા હેતુથી ભારત જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં યોજાનાર આ પરીક્ષામાં કોઈ પણ સ્કૂલમાં ધો. ૫ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. અને સ્પર્ધામાં ભારત દેશ પર આધારિત ૨૫ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. જેના નિયત સમમર્યાદામાં જવાબ લખવાના રહેશે.ધોરણ ૫ થી ૭, ધોરણ ૮ અને ૯  તેમજ ધોરણ ૧૦, ૧૧, ૧૨ એમ ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે અને ત્રણેય ગૃપમાંથી ૧૦-૧૦ વિજેતા બાળકોને પુરસ્કાર સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ પરીક્ષા ભારત જ્ઞાન પરીક્ષા કાલે ૧૫ ઓગસ્ટે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી નીલકંઠ સ્કૂલ ખાતે યોજાશે 






Latest News