મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાં ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા જુદીજુદી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી


SHARE













હળવદમાં ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા જુદીજુદી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી

દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને આજે ગૌરવભેર લોકો પોતાના ઘરે અને દુકાનો સહિતના સ્થળે લગાવી રહ્યા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હળવદમાં  વિવેકાનંદ સાયન્સ એકેડમીના સહયોગથી બે હજાર જેટલા વિદ્યાર્થીઓને સાથે રાખીને ૨૩૦૦ ફૂટની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ત્યારે વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલથી સરા ચોકડી, નંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો ઉપર આ યાત્રા ફરી હતી અને લોકોએ યાત્રા પર ફૂલ વરસાવીને સ્વાગત કર્યું હતું આ યાત્રાને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી સહિતના સભ્યો તેમજ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના મેનેજીંગ ડાઇરેક્ટર ફેફર, કેમ્પસ ડાઇરેક્ટર પઢીયાર, પ્રિન્સિપાલ કાસેલા, હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.વી. પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને અંતમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ધ્વજ દેશની આન બાન અને શાન છે. ત્યારે બોર્ડર ઉપર જઇને લડી ન શકાય તો પણ એક આદર્શ નાગરિક બનીને તિરંગાનું ગરીમાંસભર સન્માન જાળવી શકાય તો તે પણ એક દેશભક્તિ જ છે






Latest News