મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો


SHARE











મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો

મોરબી શહેર ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ આજે તિરંગા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તેને ટીમ દ્વારા મોરબી શહેરના દરેક રોડ ઉપર તિરંગા લોકોને આપવામાં આવ્યા હતા અને લોકોને આ તિરંગા તેમના ઘર અને દુકાનો ઉપર લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદ વાંસડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, શહેર ભાજપ મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝરિયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના ચેરમેનો અને સભ્યો અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આજથી મોરબીમાં આવેલ મોટાભાગની સરકારી કચેરી ઉપર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે તો લીલાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ડો.હિરલ ઓઝા, અક્ષયગીરી, ગુલશાનાબેન દ્વારા પણ ત્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આશા બહેનો  દ્વારા ઘરે-ઘરે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા રાજપર પીએચસીના રવાપર, લખધીર નગર ખાનપર, ચાચાપર ,થોરાળા, સનાળા, તમામ સેન્ટરે પણ તિરંગો  લહેરાવવામાં આવ્યો છે






Latest News