મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ

મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સદગુરુ આશ્રમમાં રહીને અભ્યાસ કરતો બાળક છેલ્લા નવ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી પ્રમાણે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડી પાસે આવેલ અયોધ્યા ચોક પાસે યોગરાજનગર-૨ માં રહેતા દેવેન્દ્રભાઈ મહેશભાઈ આચાર્ય જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા પાર્થ (ઉંમર ૧૪) નું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૩૧/૭ ના રોજ વહેલી સવારના ૫:૩૦ વાગ્યાથી તે મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન સદગુરુ આશ્રમ ખાતે ભણવા માટે મૂકવામાં આવ્યો હતો ત્યાંથી ગુમ થઈ ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને કોઈ અજાણ્યો માણસ દ્વારા કોઈ કારણોસર તેનું અપહરણ કરવામાં આવ્યું હોવા અંગેની હાલમાં દેવેન્દ્રભાઈ આચાર્યએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા પાર્થને શોધવા માટે થઈને અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News