મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત


SHARE











વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત

વાંકાનેર નજીક આવેલ સીરામીક કારખાના પાસે યુવાન ઈલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં તેને વીજશોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતો અર્જુનસિંહ ભુપતસિંહ બારીયા (ઉમર ૩૦) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ કયુટોન સીરામીક પાસે ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને વીજશોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને અરવિંદસિંહ બારીયા રહે.ભોજપરા તા.વાંકાનેર વાળા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાથ કપાઈ જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપર મિલમાં કામ દરમ્યાન હાથ મશીનમાં આવી ગયો હોવાથી મજુર યુવાનને સારવારમાં લઇ જવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલસમાર ઈકબાલભાઈ નામનો ૨૨ વર્ષીય પરપ્રાંતિય મજૂર યુવાન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન તેનો હાથ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો.જેથી કરીને તેને ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીના ગીતાંજલી હાઈટમાં રહેતા શાંતિલાલ લક્ષ્મણભાઈ પનારા નામના ૫૧ વર્ષીય આધેડ વાહનમાં જતા હતા ત્યારે તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહે આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે






Latest News