મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા ગુમ થયેલ યુવાનની ભાળ મળી


SHARE











મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા ગુમ થયેલ યુવાનની ભાળ મળી

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી સીતાબેન બલભાઇ ગોપાલભાઇ ધુન્કેલ જાતે સોની (ઉંમર ૩૩) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ બલભાઇ ગોપાલભાઇ ધૂન્કેલ સોની (ઉંમર ૩૩) રહે.હાલ આલાપ રોડ શ્રીરામ સોસાયટી મૂળ રહે.વિવસ્તીનગર તા.ધનગડી જી.કૈલાલી નેપાળ વાળો ગત તા.૨૦-૭ ના વહેલી સવારે ચાર વાગ્યે કોઇને કંઇ કહ્યા વગર ગુમ થઈ ગયો હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં ગઈકાલે ગુમ થયેલા બલભાઈનો તેમના ભાઈને ફોન આવ્યો હતો કે તે પોતે રેલ્વે સ્ટેશન પાસે આવેલ ચાઈનીઝની લારીએ છે જેથી કરીને ત્યાં જઈને તેઓને ઘરે લાવવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.બાદમાં ગુમ થયેલ યુવાને પોલીસને આપેલા નિવેદનમાં યુવાને જણાવ્યું હતું કે તેઓના પત્ની સીતાબેનની સાથે તેઓને બોલાચાલી ઝઘડો થયો હતો અને તે ગુસ્સાના લીધે તે ઘર છોડીને ચાલયો ગયો હતો..!

વાહન અકસ્માતમાં ઘવાયેલ આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના મકનસર ગામે રહેતા અને મૂળ યુપીના અમિતેશ્ર્વર કે.વર્મા નામના ૫૦ વર્ષના આધેડને વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસે આવેલી ચામુંડા હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.બાઇક સ્લીપ થઇ જવાને લીધે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.






Latest News