મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં દરેક તહેવારોની પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિતે ભગવાન શિવ રાજી થાય તેવું સેવાકાર્ય કરવામાં આવ્યુ હતું. જેમાં ઝૂંપટપટ્ટીના જરૂરીયાતમંગ પરિવારોના બાળકો સહિત ૧૫૦૦ જેટલા લોકોને દૂધપાક-પુરીભાજીનું ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.ઇન્ડિયા ગ્રુપે દૂધપાક બનાવીને પુરીભાજીનું શહેરની ઝૂંપટપટ્ટી વિસ્તારના બાળકો સહિત ૧૫૦૦ લોકોને ભરપેટ ભોજન કરાવીને જઠરાગ્નિ તૃપ્ત કરી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમે કંઇ મોટું કામ કર્યું નથી.આપણા જ ગામમાં રહેતા અને પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમની જઠરાગ્નિ ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે.






Latest News