મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા


SHARE











મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા

રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી પડતર માગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ પણ તેમાં જોડાયેલ છે જેથી કરીને ગામડાઓમાં પંચાયત ઓફિસે કામ કરવા માટે જતાં અરજદારોને ધક્કા થઈ રહ્યા છે


રાજ્યના તલાટીઓ  છેલ્લા ઘણા સમયથી તેના જુદાજુદા પ્રશ્નોને લઈને સરકાર સામે લડી રહ્યા છે જો કે, સરકાર તેના પ્રશ્ન ઉકેલતી નથી જેથી કરીને વણઉકેલ માગણીઓ માટે આજથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૨૨૫ જેટલા તલાટી કમ મંત્રીઓ તેમાં જોડાયા છે તેવું મોરબી જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ ભાવેશભાઈ ફૂલતરિયા અને મહામંત્રી હુંબલ રવિભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું

આજથી મોરબી જિલ્લાના ગામડાઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ ગયેલ છે અને લોકોને ધક્કા થઈ રહ્યા છે જો કે, તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન-સન્માન સાથે ફરકાવશે તેવું કહ્યું હતું અને આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે જેથી કરીને લોકોને તેના રોજીદા કામ માટે લોકોને હેરાન થવું પડે છે






Latest News