મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત


SHARE







ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા યુવાને ગત મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં તેનું મોત નીપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને ગત મોડીરાત્રિના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને મોડી રાત્રે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ ગીરીશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું.જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતું અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સરદારબાગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એસી રીપેરીંગના કામકાજ માટે રાખવામાં આવેલા મજૂરને કામ ન હોય કામ ઉપરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.તે વાતને લઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી તે બનાવવામાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આરીફ અબ્દુલ મંગલિયા જાતે સંધિ (૩૨) ધંધો એસી રીપેરીંગ રહે.લાલપર તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.જયારે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે બાઈકમાં જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થવાથી અર્જુન સુરતભાઈ નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ રામજી ચોક પાસે રહેતા જયેશ રતિલાલ અદગામા જાતે કોળી નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબી સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હાલમાં કારખાનાઓ બંધ થઈ જતા કામધંધાના ટેન્શનમાં તેણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News