ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત


SHARE











ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા યુવાને ગત મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં તેનું મોત નીપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને ગત મોડીરાત્રિના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને મોડી રાત્રે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ ગીરીશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું.જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતું અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સરદારબાગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એસી રીપેરીંગના કામકાજ માટે રાખવામાં આવેલા મજૂરને કામ ન હોય કામ ઉપરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.તે વાતને લઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી તે બનાવવામાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આરીફ અબ્દુલ મંગલિયા જાતે સંધિ (૩૨) ધંધો એસી રીપેરીંગ રહે.લાલપર તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.જયારે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે બાઈકમાં જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થવાથી અર્જુન સુરતભાઈ નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ રામજી ચોક પાસે રહેતા જયેશ રતિલાલ અદગામા જાતે કોળી નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબી સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હાલમાં કારખાનાઓ બંધ થઈ જતા કામધંધાના ટેન્શનમાં તેણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News