તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક સનહાર્ટ સિરામિકની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ઢુવા નજીક સનહાર્ટ સિરામિકની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત

વાંકાનેરના ઢુવા પાસે આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા યુવાનને તેની ઓરડીમાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી તેને ઝેરી અસર થવાથી સારવાર માટે તાત્કાલિક મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યારે સિવિલ હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સિરામિક (sunheart ceramic)ની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો મૂળ એમપીનો રહેવાસી સંજુભાઈ મનુભાઈ માવી (ઉંમર ૨૭) નામનો યુવાન પોતાની ઓરડીમાં હતો ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હળવદ રોડ ઉપર મીલી પાર્કમાં રહેતા છગનભાઈ રાઘવજીભાઈ દેત્રોજા (ઉંમર ૬૫) સીએનજી પમ્પ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર આવતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઈજા થતા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે તેને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોહનભાઈ અરજણભાઈ ચાવડા (ઉંમર ૫૧) નામના આધેડને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં મોહનભાઈ ચાવડાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News