મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી


SHARE







મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી

તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન દેશના ૧૫ માં અને પ્રથમ આદિવાસી મહિલા તરીકે દ્રોપદી મુર્મુજી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.જેથી કરીને અહીંના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.તેમજ દ્રોપદીની તરફેણમાં મતદાન કરનાર સર્વેનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ તાજેતરમાં વરણી પામેલ દેશના મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીનું અભિવાદન કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તેમજ મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રાષ્ટ્રપતિ પદે દ્રોપદી મુર્મુજીની વરણી થતા ફટાકડા ફોડીને તેમજ મીઠાઈઓનું વિતરણ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, અરવિંદભાઇ વાંસદડીયા, જ્યોતિસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, કે.કે.પરમાર, દેવાભાઈ અવાડીયા, પ્રભુભાઈ પનારા, નિર્મલભાઇ જારીયા, નરેન્દ્રભાઇ પોપટ, જેઠાભાઈ પારઘી, રાકેશભાઇ કાવર સહિતના અહીંના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ સામે ફટાકડા ફોડી, મીઠાઇ વડે એકમેકના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેન દ્વારા પણ મહિલા શક્તિનું બહુમાન થવાથી રાષ્ટ્રપતિ બનેલા દ્રોપદી મુર્મુજીને શુભેચ્છાઓ પાઠવીને તેઓ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરે અને દેશને નયા ભારત તરફ આગળ દોરી જાય તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.




Latest News