વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની મુસ્લિમ દીકરીએ હિન્દુ ગ્રંથો ઉપર મહાશોધ નિબંધ તૈયાર કરીને પીએચડીની પદવી મેળવી


SHARE











મોરબીની મુસ્લિમ દીકરીએ હિન્દુ ગ્રંથો ઉપર મહાશોધ નિબંધ તૈયાર કરીને પીએચડીની પદવી મેળવી

મોરબીની મુસ્લિમ દીકરીએ વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં માનવીય મૂલ્ય પર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે અને તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો તેને માન્ય રાખીને મોરબીની સાહેરાબાનુ અનવરખાન પઠાણને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામા આવી છે

મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા અનવરખાન પઠાણ મકાનોના રંગ રોગાન કરવાનું  કામ કરે છે પણ દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજમાં બી.એ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં એમ.એ., એમ.ફિલ સુધી અભ્યાસ કરાવ્યો છે અને સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય તેની ઈચ્છા પી.એચ.ડી. કરવાની હતી અને સાહેરાબાનુએ સંસ્કૃતમાં વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય:  એક અધ્યયન (Human Values In Visnupuran And Bhagavatpuran: A Study)  વિષય પસંદ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો. એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ, અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ મહા સંશોધન નિબંધ તૈયારી કરીને પીએચડીની પદવી મેળવી છે

મોરબીની એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા, સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપી કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવને ઉજાગર કર્યો છે ત્યારે સાહેરાબાનુ પઠાણને ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ ચોમેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.






Latest News