મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી ધામ ખાતે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં વન મહોત્સવ ઉજવાશે


SHARE













મોરબીના ખોખરા હનુમાનજી ધામ ખાતે મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાની હાજરીમાં વન મહોત્સવ ઉજવાશે

મોરબી નજીકના બેલા-રંગપર પાસે આવેલ ખોખરા હનુમાનજી ધામ તા.૧૪/૦૮ ના રોજ શનિવારે રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. અને સવારે ૯:૧૫ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે

આ તકે સાંસદઓ,ધારાસભ્યઓ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે શ્રીવાસ્તવ, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે  મોરબીને હરિયાળું બનાવવા શ્રી ખોખરા હનુમાનજી ધામ ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતનનો સંકલ્પ લેશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્યદિનની પૂર્વ સંધ્યાએ તા.૧૪/૦૮ ના સાંજે ૬ કલાકે એપીએમસી, મોરબી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે.

 






Latest News