મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?


SHARE











વાંકાનેરમાં યોજાનાર જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું છેલ્લી ઘડીએ સ્થળ કેમ બદલાયું !?

વાંકાનેરમાં આગામી 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી થવાની હતી જે કોઈ પણ કારણોસર રદ કરીને તેનું સ્થળ બદલાવીને મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કરવામાં આવેલ છે જેથી કરીને રાજકારણમાં વિવાદનું ઘર બની ગયેલ વાંકાનેરની રાજકિત સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે કે પછી બીજું કોઈ કારણ છે તેને લઈને હાલમાં વાંકાનેરમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં. 

વાંકાનેરમાં આગામી 15 ઓગસ્ટ 75 માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કરવાનું આયોજન થયું હતુંઅને આ બાબતે સ્થાનિક પ્રશાસન દ્વારા અમરસિંહજી શાળા ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતીપરંતુ છેલ્લી ઘડીએ કોઈ પણ કારણોસર વાંકાનેરમાં જીલ્લા કક્ષાની ઉજવણી રદ કરી મોરબી ખાતે નક્કી કરવામાં આવતા વાંકાનેરમાં શા માટે આ આયોજન રદ કરવામાં આવ્યું તેવા સવાલો ઉઠવા પામ્યા હતાં અને સ્વાતંત્ર્ય પર્વ જેવા દેશ ભક્તિ પર્વની ઉજવણીમાં પણ રાજકીય પ્રશ્નો ઉદભવે છે ! તેવા પણ તર્ક વિતર્કો વહેતા થયા હતાંત્યારે આ મુદ્દે વાંકાનેર પ્રાંત અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવતાં હોય છે તેમ જણાવ્યું હતુંપરંતુ શા માટે સ્થળ બદલાવવામાં આવ્યું તે બાબત સ્પષ્ટ જવાબ આપેલ નથી ત્યારે આ મુદ્દે વાંકાનેરનાં શહેરીજનોમાં પણ અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતાં.






Latest News