મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકોને 50 કિલો મીટરનો ધક્કો !


SHARE











મોરબી નજીક કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકોને 50 કિલો મીટરનો ધક્કો !

મોરબી જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ હાઇવે આજે બપોરના બે વાગ્યાથી બંધ થઈ ગયો છે કારણ કે આ રોડ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે જેના ડાયવર્ઝનમાં વરસાદી પાણી આવી જવાથી હાલમાં ડાઈવર્જન સંપૂર્ણ ધોવાઈ ગયું છે જેથી કરીને વાહન માટે થઈને ડાયવર્જનને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં જામનગર થી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટરથી વધુ ફરવા માટે જવું પડી રહ્યું છે

જામનગર જિલ્લામાંથી કચ્છ તરફ જવા માટે થઈને કોસ્ટલ હાઈવે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે અને મોરબી જિલ્લાના આમરણ પાસેથી આ રસ્તો પસાર થતો હોય તે રસ્તાને મજબુત બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને રસ્તામાં આવતા પુલિયા, નાલાઓને પણ મજબૂત બનાવવા માટેની કામગીરીના ભાગરૂપે તે નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે દરમ્યાન હજનારી ગામ પાસે નવો પુલ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને લગભગ ત્રણથી ચાર મહિના પહેલા સ્થાનિક ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ કરવા માટે અને ડાઈવર્જનને મજબૂત બનાવવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા તે મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો જેથી કરીને છેલ્લા ચાર પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે બીલીયા, બગથળા સહિતના ગામોમાં પડેલા વરસાદના લીધે હાલમાં હજનારી પાસે જે ડાઈવર્જન બનાવવામાં આવ્યું છે એ ડાઇવર્જન ઉપર પાણી ફરી વળ્યું છે જેના લીધે ડ્રાઈવર્જન સંપૂર્ણ તૂટી ગયો છે જેથી કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને બપોરના બે વાગ્યાથી આ રસ્તા ઉપર થી વાહનો પસાર થઈ શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને હાલમાં જામનગર થી કચ્છ બાજુ અથવા તો કચ્છ બાજુથી જામનગર તરફ જવા માટે વાહન ચાલકોને લગભગ 50 કિલોમીટર સુધીનો ફેરો ફરવા માટે જોવો પડે છે






Latest News