મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહેનત અને ખંતથી ઉજ્જવળ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી તા.૩૧-૭ ના રોજ કરવામાં આવ્યું છે.તેમજ 'સરસ્વતી સન્માન' કાર્યક્રમના નેજા હેઠળ ધો.૧ થી ૧૨ ના છાત્રોને સન્માનિત કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખે યાદીમાં જણાવ્યા અનુસાર ધો.૧ થી ૯ ના જે વિદ્યાર્થીઓએ ૮૦ ટકા અને ધો.૧૦ થી ૧૨ માં ૭૦ ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૦-૭ થી ૨૩-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.

વડીલ વંદના કાર્યક્રમ યોજાશે

રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે તા.૧૭-૭ ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, સમાજના ૭૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનોઓ પોતના ઉંમરના પુરાવા સ્વરૂપે આધારકાર્ડ કે જન્મનો દાખલો તેમની અરજી સાથે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૫-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.ઉપરોકત બંને બાબતો માટેની વધુ માહીતી માટે મોબાઈલ નં.૯૮૭૯૯ ૯૩૭૦૫ અથવા ૭૦૫૯૦ ૯૭૦૦૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News