મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં યુથ કોંગ્રેસ દ્વારા સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ, પોલીસ દમન કરતી હોવાનો આક્ષેપ


SHARE











મોરબીમાં યુથ કોંગ્રેસ દ્વારા સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ, પોલીસ દમન કરતી હોવાનો આક્ષેપ

મોરબીના નગર દરવાજા ચોક ખાતે આજે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પરિવાર દ્વારા સરકાર દ્વારા યુવાનોના મજાક સમાન જાહેર કરાયેલ અગ્નિપથ અને અગ્નિવીર યોજનાનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને યુવાનોના મજાક સમાન આ યોજના પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

કારણ કે અમુક વર્ષ માટે યુવાન કામ કરે અને બાદમાં ચાર વર્ષ પછી નોકરી છોડવી પજે તો જ્યારે તેની ઉંમર થઈ જાય અને તે યુવાન અન્ય કોઇ સરકારી નોકરીમાં એપ્લાઇ કરે ત્યારે તેની ઉમર વધી ગઇ હોય તે ઉંમર બાદ થઇ જવાથી તે કોઈ જગ્યાએ સરકારી નોકરી ન મળી શકે આ પ્રકારની કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જે અગ્નિપથ યોજના જાહેર કરાઇ છે તેમાં યુવાનોનું શોષણ થાય તેવા પ્રકારની આ યોજના હોવાનો રોષ પ્રગટ કરીને કોંગ્રેસ દ્વારા સૂત્રોરચાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને પોલીસ વિરોધી પણ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કારણ કે પ્રજાના હિતમાં જે કોઈ વાત હોય તેની જ્યારે પણ કોંગ્રેસ રજૂઆત કરે છે ત્યારે સરકાર દ્વારા પોલીસને આગળ ધરી દેવામાં આવે છે."સરકાર હમશે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ.." ના નારા લગાવીને કોંગ્રેસ દ્વારા પોલીસ દમનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.કારણકે ગઈકાલે જ હળવદમાં સૂત્રોચ્ચાર કરીને પૂતળાદહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યાં પોલીસ દ્વારા દમન કરવામાં નહોતુ આવ્યું અને પ્રજા અને ખાસ કરીને યુવાનોને લગતા પ્રશ્નોને લઈને જ્યારે મોરબીના નગર દરવાજાના ચોકમાં વિરોધ કરવામાં આવ્યો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા બળજબરીપૂર્વક આગેવાનોને પોલીસ વાહનમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને ડિટેઇન કરવામાં આવ્યા હતા તે વાતનો પણ કોંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કારણ કે આગલા દિવસે મોરબી નગરપાલિકામાં તાળાબંધીના કાર્યક્રમ દરમિયાન પણ પોલીસ દ્વારા બળપુર્વક કાર્યક્રમને દબાવી દેવાના આસયથી માત્ર પાંચ આગેવાનો દ્રારા આવેદનપત્ર આપવામાં આવે આ પ્રકારની નીતી અખત્યાર કરવામાં આવી હતી.જોકે શહેરના દરેક ચોકમાં વગર મંજુરીએ રિક્ષાચાલકો જે આડેધડ પાર્કિંગ કરે છે અને શહેરના મુખ્ય ચોક સહિતના વિસ્તારોમાં જે લારી ગલ્લાના દબાણ છે ત્યાં અને ખાસ કરીને ભાજપ દ્વારા જે કોઈ કાર્યક્રમ કરવામાં આવતા હોય ત્યાં પણ આવી જ કડકાઇ પોલીસ વાપરે તેવી માગણી કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






Latest News