મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે તળાવમાં કોઈપણ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેને બોડીને તળાવના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે બેલા ગામ પાસે આવેલ ઇવોના સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં કામ કરતા બૂધલૂભાઈ સુરૂભાઈ ઘૂટવાડ (૨૮)નું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને તળાવના પાણીમાંથી બહાર કાઢીને નરસિંગભાઈ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો રાજેશ લાડુરામ પુનિયા જાતે જાટ નામનો ૪૦ વર્ષીય યુવાન તેના ઘરે હતો દરમિયાન તેને હાર્ટએટેક આવી જતાં બેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હપેશભાઇ ચાવડાએ પહોંચીને અંગે તપાસ હાથ ધરી હતી.

રીક્ષામાંથી પડી જતા ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો અકબર ઇશાકભાઇ નોતીયાર નામનો ૪૪ વર્ષીય યુવાન રીક્ષામાં જતો હતો દરમિયાનમાં તે રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રોટરીનગર ગામના રહેવાસી મીનાબેન દેવરામભાઈ રામાનુજ નામની એકવીસ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર જ ભરતનગર ગામની પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી મીનાબેનને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News