મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન


SHARE







વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં નર્મદાનું પાણી પીવા માટે લોકોને આપવામાં આવતું નથી જેથી કરીને લોકોની  સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સાથે આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં લોકોને પાણી માટે અન્યાય કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજથી લોકોને સાથે રાખીને સ્થાનીક આગેવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પીવા લાયક પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે,સમસ્યા ઉકેલવા માટે અગાઉ પાણી પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય અનેક જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે પણ લોકો પગલાં લેવામાં આવેલ નથી અને લોકો પાણી માટે હેરાન થાય છે માટે નાછૂટકે આંદોલન કરવામાં આવ્યું છે.






Latest News