મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન


SHARE











વાંકાનેરના ચંદ્રપુર-ભાટિયા સોસાયટીમાં નર્મદાનું મીઠું પાણી આપવાની માંગ સાથે આંદોલન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની ચંદ્રપુર ગ્રામ પંચાયત હેઠળ આવતી ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં નર્મદાનું પાણી પીવા માટે લોકોને આપવામાં આવતું નથી જેથી કરીને લોકોની  સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સાથે આજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ચંદ્રપુર અને ભાટિયા સોસાયટીમાં લોકોને પાણી માટે અન્યાય કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજથી લોકોને સાથે રાખીને સ્થાનીક આગેવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને પીવા લાયક પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે,સમસ્યા ઉકેલવા માટે અગાઉ પાણી પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય અનેક જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે પણ લોકો પગલાં લેવામાં આવેલ નથી અને લોકો પાણી માટે હેરાન થાય છે માટે નાછૂટકે આંદોલન કરવામાં આવ્યું છે.






Latest News