મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં લેબર કવાર્ટરની સીડી ઉપર ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં લેબર કવાર્ટરની સીડી ઉપર ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરની સીડી ચડતા સમયે ચક્કર આવવાથી નીચે પડી ગયેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળનાં રહેવાશી અને હાલમાં મોરબી જિલ્લામાં ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ ડોનાટો સિરમિકમાં મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કવાર્ટરની અંદર રહેતા સનાતનભાઈ મોહનભાઈ માહાલી જાતે આદિવાસી (ઉંમર ૪૦) પોતાના દીકરા અનિલને તાવ આવતો હોય તેની દવા લઈને ગઈકાલે બપોરના સમયે પોતાના લેબર કવાર્ટર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે લેબર કવાર્ટરની સીડી ચડતા સમયે સીડી ઉપર ચક્કર આવવાના કારણે તે પડી ગયા હતા અને નીચે પડ્યા હતા માટે તેને માથાના ભાગે પાછળ ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન સનાતનભાઈનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મૃતક યુવાનના પત્ની સુનિયાબેન સનાતનભાઈ માહાલી જાતે આદિવાસી (ઉંમર ૩૬)એ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News