મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના પાનેલીથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનને તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હોવાથી તેને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વરથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવતા રાણા ભુવાની મેલડી માતાજીના મંદિર પાસે રાહુલ પ્રવીણભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૧૮) નામના યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના પિતા પ્રવિણભાઈ નાગજીભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયા આ બનાવની તપસ કરી રહયા છે અને તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનને ગઈકાલે તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તે સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને માતાજીના મંદિર પાસે ઝાડ સાથે પ્લાસ્ટીકની નળી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News