મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન


SHARE













મોરબીના ચાંચાપર પાસે કારખાનામાં આગથી લાખોનું નુકસાન

મોરબીના ચાંચાપર ગામે આવેલ પોલિપેકના કારખાનામાં ઇલેક્ટ્રિક શોટસર્કીટથી આગ લાગતા લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચાંચાપર ગામની સીમમાં આવેલા શિવા પોલિપેક નામના કારખાના અંદર ત્રણ કંટ્રોલ પેનલ એકબીજા સાથે એટેચ હતી દરમ્યાનમાં એક કંટ્રોલ પેનલમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખો રૂપિયાની નુકશાની થઇ હોય તે સંદર્ભે હિતેષ રમેશભાઈ નાકરાણી (૪૦) રહે.શ્રીમદ સોસાયટી મુનનગર પાછળ પંચાસરરોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા તાલુકા પોલીસે નોંધ કરીને આગના બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત

મોરબીના અણીયાળી પાસે રાજસ્થાની યુવકનું મોત નિપજયુ હતુ.અણીયારી ગામ પાસે આવેલ ડીવી કોલ નજીકથી રાજસ્થાની યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલા શાહપુરના વતની આસુતોષ ઘીસાલાલ શર્મા નામના ૩૩ વર્ષીય રાજસ્થાની યુવાનનો ડીવી કોલ નામના કારખાના પાસે અણિયારી ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે આશુતોષ શર્માં પોતાના મિત્રની સાથે ટ્રકમાં બેસીને રાજસ્થાનથી ફરવા માટે મોરબી આવ્યો અને તેને પરત રાજસ્થાન જવું હતું અને તે રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન કોઇ કારણોસર મોરબીના અણીયારી ગામ પાસે આવેલા ડીવી કોલ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બાળક સારવારમાં 

મોરબી નજીકના બગથળા ગામે બાઇકમાં નાના રામજી મંદિર નજીકથી જઈ રહેલ બાઇકમાંથી પડી જવાથી જીલ હાર્દિકભાઇ જોશી નામના પાંચ વર્ષના બાળકને ઇજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક એક ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા ગાંધીધામ તરફથી ટ્રક લઈને આવી રહેલા મરકીસિંગ બલવિંદરસિંગ નામના ૩૦ વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના એકાદ વાગે ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News