મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા ઈલેક્ટ્રીક શોટ સર્કીંટથી કારખાનામાં આગ : ૨૫ લાખનું નુકસાન


SHARE







મોરબીના સામાકાંઠા ઈલેક્ટ્રીક શોટ સર્કીંટથી કારખાનામાં આગ : ૨૫ લાખનું નુકસાન

મોરબીના સામાકાઠે વાંકાનેર હાઇવે ઉપર વિશાલ ફર્નીચરની પાછળ આવેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટને લીધે આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાની વસ્તુઓ આગમાં સ્વાહા થઇ જતા કારખાનેદારે આ અંગે પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ચકમપર (જી.) ના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમાં ટાઉનશિપમાં રહેતા યોગેશભાઈ કાંતિલાલ દેત્રોજા પટેલ નામના ૩૪ વર્ષીય યુવાને જાણ કરી હતી કે વિશાલ ફર્નિચરની પાછળ આવેલા તેમના ઉમા ડેકોર નામના યુનિટમાં ઈલેક્ટ્રીક સર્કિટના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આગ લાગતા પ્રિન્ટીંગ વિભાગમાં રહેલ મોટા કેરબામાં ભરેલ કેમિકલ, તૈયાર-કાચો માલ તેમજ યુનીટમાં મશીનરી સહિતની વસ્તુઓમાં આગના લીધે અંદાજે ૨૦ થી ૨૫ લાખનું નુકસાન થવા પામેલ છે જે અંગે નોંધ કરીને હાલમાં હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગરે તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે થયેલ મારામારીના બનાવમાં વજાભાઇ નવઘણભાઈ ખાંભલા (રહે.લીલાપર) નામના ૨૯ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે વાંકાનેરના લાકડધાર ગામના રિતિક ભરતભાઈ નામના છ વર્ષના બાળકને સુંદરી ભવાની પ્રાથમિક શાળા પાસે વાહન અકસ્માતમાં ઈજા થઈ હોય તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ લજાઈ ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં મુકેશભાઈ રવજીભાઈ મકવાણા નામના ૪૫ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીં સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

જોડીયા નજીકના જામસર ગામના હિતેશ વિનોદ રાઠોડ નામનો ૩૨ વર્ષીય યુવાન ગામમાંથી મોરબી આવતો હતો ત્યારે થાવરીયા ગામ પાસે તેનો પ્ તેને ઈજાઓ થતા સારવાર માટે લઇ જવાયો હતો જ્યારે મોરબીના રેલવે સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં વીસીપરા મહેતા રવિ લાભુ દેવીપુજક ના આઠ વર્ષના બાળકને ઈજાઓ પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમજ હળવદના સુંદરી ભવાની ગામે રહેતી સોનાબેન વિક્રમ ભાઈ આંબાભાઈ બામણીયા નામની 29 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીં મંગલમ હોસ્પિટલ લાવવામાં આવી હતી.






Latest News