મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી


SHARE











મોરબીમાં એસટી ડ્રાઇવરે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી

મોરબીમાં અગાઉ એસટીની બસો ધક્કા ગાડી જેવી હતી તેના સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે આ અંગે મીડિયા સમક્ષ બોલનાર એસટી ડ્રાઇવરને સજાના રૂપે દંડ અને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલ અને ત્યાર બાદ તેને નોકરી ઉપર લઈને ગોંડલ બાદ જસદણ બદલી કરવામાં આવી છે આમ તે કર્મચારીને અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી કરીને તેને એસટીના મેનેજીંગ ડિરેક્ટર પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી છે.

મોરબીમાં એસટીના ફિક્સ પગારદાર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ દોઢેક વર્ષ પહેલા એસટીની ધક્કા ગાડી છે તેવા સમાચાર દરેક મધ્યમમાં આવ્યા હતા ત્યારે તેને મીડિયામાં માહિતી આપી હતી જેથી કરીને તેને પાંચ પ્રકારની સજા કરવામાં આવી હતી જેમાં તેને છેલ્લે ગોંડલટી બદલી કરીને જસદણ મૂકવામાં આવેલ છે અને છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ જાતના વાંક વગર એસટીના યુનિયન અગ્રણીઅધિકારીઓ દ્વારા માનસિક રીતે ત્રાસ આપીને હેરાન કરવામાં આવે છે અને તેનો દીકરો પણ બીમાર છે ત્યારે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ મેનેજીંગ ડિરેક્ટરને પત્ર લખી આત્મવિલોપનની મંજૂરી માંગી છે અને આ પત્રની નકલ મુખ્યમંત્રીગૃહમંત્રીવાહન વ્યવહાર મંત્રી વિગેરેને મોકલવામાં આવી છે 






Latest News