મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના વજેપર ગામની વાદગ્રસ્ત જમીનના દાવામા દાવો ૨દ કરવાની અરજી રદ કરતી કોર્ટ


SHARE











મોરબીના વજેપર ગામની વાદગ્રસ્ત જમીનના દાવામા દાવો ૨દ કરવાની અરજી રદ કરતી કોર્ટ

મોરબીની બાજુમા આવેલ વજેપ૨ ગામની જમીનમા નરશીભાઈ ટપુભાઈ અગેચાણીયાના કાયદેસ૨ના વારસદાર કિશનભાઈ નરશીભાઈ અગેચાણીયાએ દાવો કરેલ જેમા પ્રતિવાદીએ દાવો ૨દ કરવાની અરજી કોર્ટમાં કરેલ હોય જે અરજી કોર્ટ એ રદ કરતો હુકમ કરેલ છે.

આ કેસ ની હકિકત એવી છે કે મોરબી ના વજેપર ગામની જમીનના ખાતા નં. ૧૦૮૬ થી સર્વે નં.૧૦૯૬/૧ પૈકી ૪ ની ખેતીની જમીનમા દાવો કરનાર કિશનભાઈના પિતા નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાએ નાનજીભાઈ ૫૨મા૨ના અવસાન બાદ તેમના પુત્રો પૈકી પરબતભાઈ નાનજીભાઈ પરમાર, દયારામભાઈ નાનજીભાઈ પ૨મા૨ સાથે તે બન્ને વ્યક્તિનો મિલ્કતમા જે હકક હિસ્સો છે તે હિસ્સાની રકમ ચુકવીને સોદાખત તા.૭-૬-૧૮ ના રોજ કરાવેલ છે. જે મુજબ પરબતભાઈ અને દયારામભાઈનુ નામ ઉપરોકત જમીનના ૭/૧૨ મા નામ ચડયા બાદ મિલ્કતનો દસ્તાવેજ કરવાનુ નકકી થયેલ ત્યાર બાદ નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાનુ અવસાન થયેલ ત્યાર બાદ સોદાખત કરી આપનાર પરબતભાઈ અને દયારામભાઈએ પોતાનુ નામ મિલ્કત ના ૭/૧૨ માં ચડયાના આશરે ૧૫ દિવસમા જ મિલ્કતનો દસ્તાવેજ પોતાના અન્ય ભાઈઓ સાથે તુપ્તીબેન મહેશભાઈ કુંડારીયાને વેચાણ કરી આપેલ છે.જેની જાણ નરસીભાઈ ટપુભાઈ અગેચાણીયાના પુત્ર કિશનભાઈને થતા કિશનભાઈએ આ મિલ્કતમા થયેલ હાલનો દસ્તાવેજ ૨દ કરવા તથા તે મિલ્કતમા પોતાનો કાયદેસરનો હકક, હિત, હિસ્સો રહેલ તે લગત દાવો તેમના એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, દુર્ગેશ ધનકાણી મારફત મોરબીની કોર્ટમા દાવો કરેલ છે.

જે ચાલુ દાવે પ્રતિવાદીને નોટીસ બજતા ૫૨બતભાઈ તથા દયારામભાઈએ તેમના વકીલ મારફત દાવો રદ કરવા માટેની અરજી કરેલ જે અરજીના અનુસંધાને વાદીના એડવોકેટએ વાંધા રજુ કરેલ તથા તે અરજીની દલીલ તબકકે બન્ને પક્ષકારોના એડવોકેટ દલીલ ધ્યાને લીધા બાદ મોરબીના મહે.સી. સીવીલ જજ વાય.એન.પટેલએ પરબતભાઈ તથા દયારામભાઈના થકી થયેલ દાવો રદ કરવાની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.આ કામમાં વાદી કિશનભાઈ નરસીભાઈ વતી જાણીતા યુવા એડવોકેટ જીતેન અગેચાણીયા અને દુર્ગેશ ધનકાણી રોકાયેલા હતા.






Latest News