વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં અબોલજીવ માટે પાણી, છાંયો વિગેરે વ્યવસ્થા ઊભી કરો: કાંતિભાઈ અમૃતિયા


SHARE











મોરબી પાલિકા સંચાલિત નંદીઘરમાં અબોલજીવ માટે પાણી, છાંયો વિગેરે વ્યવસ્થા ઊભી કરો: કાંતિભાઈ અમૃતિયા

મોરબી શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યા નિવારવા મોરબી નગરપાલિકા નંદી ઘર બનાવવામાં આવેલ છે અને મોરબીના પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે ત્યારે રખડતા ઢોર પકડીને રાખવામાં આવે છે જો કે, અપૂરતી સુવિધાને લઇને ગૌવંશના સંખ્યાબંધ મૃત્યુ થયા હોવાની માહિતી  સામે આવી રહી છે ત્યારે નદી ઘરમાં અત્યંત જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માજી ધારાસભ્ય દ્વારા કલેક્ટર તેમજ પાલિકાના અધિકારી અને પદાધિકારીને સૂચન કરવામાં આવેલ છે

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કલેક્ટર, પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં પંચાસર રોડ પર નંદી ઘર બનાવવામાં આવ્યું છે તેના માટે કેટલાક સૂચન કરવામાં આવેલ છે જેમાં નંદીને પીવાના પાણીની સમસ્યા નિવારવા ૮ અવેડા બનાવવામાં આવેલ છે જે વધારવાની જરૂર છે અને તે ૨૪ કલાક ભરેલા રાખવા જોઈએ અને પાણીની તુર્તજ વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે તેમજ હાલમાં મંડપ સર્વિસ દ્વારા ત્યાં અબોલ જીવ માટે છાંયડો કરવામાં આવે, સારી ક્વોલિટીની તાલપત્રીનો છાયડો કરવો જોઈએ, અંદાજે ત્રણ મહિનામાં વર્ષા ઋતુનો પ્રારંભ થશે ત્યારે નંદી માટે ઘાસની વ્યવસ્થા અગાઉથી કરવી જરૂરી છે જેથી ગોડાઉન બનાવવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી છે અને હાલમાં નંદીઓને સારસંભાળ માટે માત્ર છોકરી રાખવામાં આવેલ છે ત્યાં ઓછામાં ઓછા ૧૫ કર્મચારીઓ હોવા જોઈએ તેવું તેમણે જણાવ્યુ છે જો કે, પાલિકા દ્વારા આ સુવિધા કયારે ઊભી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે






Latest News