મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો

કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી તે ઉક્તિ ને ધ્યાન માં રાખી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો અને મોરબીના આંબેડકર ચોકમાં આવેલ કબીર આશ્રમમાં રામ ખીચડીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં  ૧૪૦ જેટલા બહેનો, ભાઈઓ અને બાળકોએ ભાગ લીધેલ હતો અને કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુએ આ પ્રસંગે  પ્રવચનમાં જણાવ્યું કે, ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ભેદભાવ ક્યારેય રાખતી નથી આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત, ઉચ્ચ નીચના ભેદભાવ રાખીએ છીએ? આ કાર્યક્રમના મુખ્ય વકતા વિજયભાઈ રાવલએ જણાવ્યું હતું કે સંતોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજમાં સમરસતાનું કાર્ય ક્યાં સુધી કરશો? સંતોનો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતાનો મીઠો દરિયો ન બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું. આ ઉપરાંત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત શિવણ કેન્દ્રની બીજી બેન્ચ પૂર્ણ થતાં બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ છે આ શિવણ કેન્દ્રમાં આરતીબેન શુક્લા સેવા આપે છે. અને આ કાર્યક્રમના અંતે રામ ખીચડીનો મહાપ્રસાદ સૌ એ એક પંગતમાં લીધેલ હતો






Latest News