મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીમાં યુવકનો કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ : સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીમાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારતા ઘરે આવી કેરોસીન છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગેની વધુ વિગત અનુસાર મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડીયા (ઉ.40) માનસીક બીમારીથી પીડાતા હોય જે ગત રોજ મહેન્દ્રનગરની બજારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સો સાથે માથાકુટ થતા અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો.જે બાદ યુવકે ઘરે આવીને પત્નીને કહ્યું કે મને બજારમાં અજાણ્યા શખ્સોએ માર માર્યો છે. જેથી મારે જીવવું નથી કહીને ઘરના રૂમમાં જઈને કેરોસીન છાંટી સળગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રૂમનો દરવાજો ખોલીને યુવકને તાત્કાલીક સારવારમાં પ્રથમ મોરબી અને બાદમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર સંજયભાઈ શાકભાજી વેંચવાનો ધંધો કરે છે અને સંતાનમાં ચાર પુત્રીઓ છે જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરતા તેના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં થાનમાં રહેતા ભાવેશ અશ્ર્વીન ભલગામા (ઉ.22) ગત રોજ સવારે ઘર પાસે હતા ત્યારે ધસી આવેલા મુકેશ અને ધ્રુવે તેની સાથે બોલાચાલી કરી પાઈપથી માર મારતા શરીરે ઈજા પહોંચી હતી. જેમને સારવારમાં અત્રેની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.






Latest News