હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો


SHARE











મોરબીના રવાપર રોડ ઉપરથી ગુમ થયેલ યુવાનનો મચ્છુ-૩ ડેમમાંથી મૃતદેહ મળ્યો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રીલાયન્સનગર વિસ્તારમાં રહેતા અને મૂળ જેતપર (મચ્છુ) નો રહેવાસી પટેલ યુવાન ગત શનિવારથી ગુમ થયેલ જેથી તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન તેનું બાઇક મચ્છુ-૩ ડેમ નજીક હોટલ પાસેથી મળી આવ્યું હોય ડેમમાં તપાસ કરવામાં આવી રહી હતી ગઇકાલે રવિવારના રોજ પાલીકાના ફાયર વિભાગની ટીમે શોધખોળ કર્યા બાદ કોઇ પતો લાગ્યો ન હતો.જોકે આજે સવારે ફાયરની ટીમે કરેલ શોધખોળ દરમિયાન રવાપર રોડ ઉપરથી ગુમ થયેલા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો.જેથી કરીને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત માહીતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા રિલાયન્સનગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયા નામનો ૪૫ વર્ષીય પટેલ યુવાન ગત શનિવારના રોજ ગુમ થયેલ હતો જેથી પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી અને બાદમાં તેઓનું બાઈક મચ્છુ-૩ ડેમ પાસે આવેલ હોટલ નજીકથી બીનવારસી હાલતમાં મળી આવ્યું હોય તેઓએ ડેમમાં ઝંપલાવ્યુ હોવાની ભીતિ સાથે પાલીકાના ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.રવિવારના રોજ ડેમમાં તપાસ કરી હતી છતાં પણ વિનોદભાઈનો પત્તો લાગ્યો ન હતો અને આજે તા.૨૮-૩ ને સોમવારે સવારે ફાયરની ટીમ દ્રારા ડેમમાં તપાસ કરવામાં આવતા ડેમમાંથી ગુમ થયેલા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીને બનાવ અંગે પોલીસ તેમજ પરિવારને જાણ કરવામાં આવી હતી.જેથી અમૃતિયા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.મૃતક વિનોદભાઈ મૂળ જેતપર (મચ્છુ) ગામના વતની હતા અને હાલ છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થ હોવાનું તેમના પિતરાઈ ભાઈ પાસેથી જાણવા મળેલ છે હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતી રજિયાબેન ઉમેદભાઈ સુમરા નામની સાત વર્ષિય બાળકીને લીલાપર રોડ ઉપર આવેલ વિલ્સન પેપર મિલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જયારે મોરબીના પીપળી ગામ નજીક યોગ આશ્રમની પાસે ગાય દ્વારા ઢીક મારવામાં આવતા વાલજીભાઈ મહાદેવભાઇ જસાપરા નામના ૬૨ વર્ષીય આધેડને ઇજાઓ થતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.






Latest News