મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો


SHARE





મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો

મોરબીમાં શનાળા રોડ પર નવા બસસ્ટેશન પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરે સદગુરૂ પ્રેમપ્રકાશદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૨૨ માં પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.જેમાં ગઈકાલે અંતિમ દિવસે મોરબીમાં પ્રથમવાર સૌથી મોટો અન્નકૂટ ૧૦૦૮ વાનગીઓ જેમાં અલગ અલગ કુલ ૫૦૦ કિલોથી વધુ મીઠાઈઓ ભગવાન શ્રી સ્વામિનારાયણને ધરવવામાં આવી હતી.આ અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.પાટોત્સવમાં અભિષેક, દર્શન, જપ, યજ્ઞ તા.૩ થી ૯ સત્સંગ કથા યોજાઈ હતી જેમાં કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી દિવ્યપ્રકાસદાસજીસ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું.પાટોત્સવને સફળ બનાવવા શાસ્ત્રી સ્વામી, ધ્યાન સ્વામી, ટ્રસ્ટીઓ તેમજ હરિભક્તોએ સેવા આપી હતી.






Latest News