મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા


SHARE











મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા

ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં થશે અનાવરણ

મોરબી નજીકના ભતરનગર અને બેલા ગામની વચ્ચે ખોખરા હનુમાનધામ આવેલું છે.જ્યાં ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે અને તેની અંદર હજારો 'શ્રીરામ' નામ લખેલી પુસ્તિકાઓ પધરાવવામાં આવેલી છે.આ જગ્યાએ આગામી એપ્રીલ માસમાં રામકથાનું આયોજન કરાયેલ છે.ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં અનાવરણ કરવામાં આવશે.

મોરબીના ભરતનગર અને બેલા ગામ વચ્ચે આવેલ ખોખરા હનુમાનધામ કે જ્યાં મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવીનો આશ્રમ આવેલો છે અને ત્યાં અનેક વિપ્ર બાળકો વેદોની શિક્ષા લઇ શકે તેવી સુંદર પાઠશાળા ચાલી રહી છે ત્યાં રામકથાનું આગામી તા.૮ થી ૧૬ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવેલું છે.દરરોજ સવારે ૯:૩૦ થી ૧ વાગ્યા સુધી આ રામકથાનું વ્યાસપીઠેથી મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવી વાંચન કરશે.રામકથા દરમ્યાન ગુજરાતના મુખ્ય ધર્મસ્થાનોમાંથી સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, આચાર્યો તેમજ વિદ્વાન કથાકારો ઉપસ્થિત રહેશે તથા કથા શ્રવણ માટે પધારેલ ભક્તો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને રાત્રી દરમ્યાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.અતિ ધામધૂમથી આધ્યાત્મિક ઉત્સવ ઉજવવાનો હોય સર્વેને જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ ધર્મોત્સવમાં ૧૦૮ પોથીનું સ્થાપન કરવામાં આવશે જેમાં પોથીના યજમાન થવાનો લાભ પ્રાપ્ત કરવા માટે અથવા કથા આયોજનમાં કોઈપણ પ્રકારની તન-મન-ધનથી સેવા કરવા માટે આશ્રમની ઓફિસ ખાતે સંપર્ક કરવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે.






Latest News