મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા આદિવાસી યુવાને ગઇકાલે સાંજના સમયે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ તેમજ માળીયા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા ગોરધનભાઇ દિવાળીયાભાઇ રાઠવા જાતે આદિવાસી નામના ૨૦ વર્ષીય યુવાને ગઈકાલે તા.૮-૩ ના સાંજેના સમયે ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત નાજુક જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે તા.૯-૩ ના વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં ગોરધનભાઈ દિવાળીયાભાઈ રાઠવા જાતે આદિવાસી નામના ૨૦ વર્ષીય મજુર યુવાનનું મોત નીપજયું હતું. હાલ બનાવ અંગે જાણ થતાં માળીયા પોલીસ મથકના રણજીતભાઈ ગઢવીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા મીંયાણામાં કેરોસીન પી જતા પરણિતા સારવારમાં

માળિયા મિંયાણા ખાતે રહેતી પરિણીતાએ કેરોસીન પી લેતા તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયામાં રહેતા નજમાબેન યુસુફભાઈ માલાણી નામની ૨૮ વર્ષીય પરિણીતા કેરોસીન પી જતા તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને બનાવને પગલે એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે નજમાબેન હાલ તેના માવતરને ત્યારે રીષામણે હોય અને પતિ સંતાનને મળવા દેતા ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું હતું હાલ પોલીસને બનાવની જાણ થતાં બીજ જમાદાર ગીરીશભાઈ મારૂણીયાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માનસર ગામે રહેતો વૃતિક રામજીભાઈ કલોત્રા નામનો ૧૮ વર્ષીય યુવાન શાળાએથી ઘરે જતો હતો ત્યારે ઘર પાસેની શેરીમાં શક્તિ માતાના મંદિર નજીક રસ્તામાં બાઈકની આડે કુતરૂ આડુ ઉતરતા તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી વૃતિકને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તાર નજીક રહેતા નુરમામદભાઈ જુસબભાઇ કટીયા નામના ૩૭ વર્ષીય યુવાનનું બાઇક નાલા પાસે સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડાયો હતો.પોલીસે બંને બનાવોની અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News