સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી


SHARE











મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક મળી

મોરબી જિલ્લામાં ગઇકાલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અધ્યક્ષ, મંત્રી તેમજ દરેક તાલુકાના અધ્યક્ષ, મંત્રી અને દરેક કારોબારી સભ્યો જોડાયા હતા આ કારોબારી બેઠકમાં આગામી વિશ્વ મહિલા દિન અનુસંધાને માતૃ શક્તિ વંદના કાર્યક્રમ વિશે, મંડલ રચના મંડલ સંયોજકની જવાબદારી વગેરે વિશે વાત કરવામાં આવી હતી

આ બેઠકમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ  દિનેશભાઈ વડસોલાએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા થતા કાર્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ દરેક તાલુકામાં થયેલ મંડળ રચના ઝાંખી આપી હતી અને મંડળ રચના દ્વારા સંઘને વધુ મજબૂત બનાવવા માટે કેવા કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપ્યું હતું અને સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ અંતર્ગત સંગઠન માટે ૭૫ દિવસ ફાળવવા માટે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું  

જિલ્લાના મંત્રી કિરણભાઈ કાચરોલા  દ્વારા દરેક તાલુકામાં થયેલ મંડળ રચના અને દરેક તાલુકાના કારોબારી સભ્યો દ્વારા ૭૫ દિવસના સમય દાનમાં કેવી રીતે કામ કરવુંતેની વધુ માહિતી આપી હતી અને જીલ્લાના અભ્યાસ વર્ગનું આયોજન કરવાનું તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને સમાજ ઘડતર રૂપી કાર્યો કરવા તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

તો વિપુલભાઈ આઘારાએ તમામ કાર્યકર્તાઓ સાથે ટુ વે ચર્ચા કરી સંગઠનમાં કેવી રીતે અને કેમ જોડાયા? સંગઠનમાં કામ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે અને શિક્ષકોના પ્રશ્નો તેમજ જૂની પેંશન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નોની રજુઆત પ્રદીપભાઈ કુહાડીયા અને કિરીટભાઈ દેકાવડીયા સિનિયર ઉપાધ્યક્ષ હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી, સુનિલભાઈ કૈલા મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા વગેરેએ પ્રતિભાવ આપ્યા હતા અને પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી






Latest News