મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે બીઆરસી કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ


SHARE













મોરબીમાં વિદ્યાર્થીઓ માટે બીઆરસી કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ

રીડર બન્યા વગર લીડર કઈ રીતે થવાય એ બાબતને કેન્દ્રમાં રાખીવિદ્યાર્થીઓનો વાંચન પ્રેમ વધેએ માટે કવોલીટી એજ્યુકેશન એન્ડ મોનિટરીંગ બ્રાન્ચ એસપીઓસમગ્ર શિક્ષાજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને બીઆરસી કો ઓર્ડીનેટર મોરબીના માર્ગદર્શન નીચે મોરબી બી.આર.સી ભવન ખાતે વાંચન અધ્યયન ઉત્સવ અંતર્ગત પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પુસ્તક વાચક સ્પર્ધાથી વાંચન અને લેખન કૌશલ્યને સક્ષમ બનાવે છે. તેમજ શબ્દભંડોળ વધેસર્જનાત્મકતાવિવેચનાત્મક વિચારસરણીકલ્પના અને અભિવ્યક્તિમાં વધારો કરવા માટે સૌપ્રથમ મોરબી તાલુકાની તમામ સરકારી શાળાઓમાં શાળા કક્ષાએ ધો. ૬,,૮,૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને શાળામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓએ સી.આર.સી.કક્ષાએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ  વિદ્યાર્થીઓને બી આર સી કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવ્યા હતા જેમાં કુલ મળીને ૬૮ વિદ્યાર્થીઓએ આવ્યા હતા અને દરેક ધોરણ વાઇઝ ત્રણ ત્રણ નિર્ણયાકઓની નિમણુક કરી હતી. આ સ્પર્ધામાં ધો. ૬ માં સદાતિયા આરુષિ અને નકુમ મુસ્કાન પ્રથમ ક્રમે વિજેતા, ધો. ૭ માં ચન્દ્રોલા સુહાની, ધો. ૮ માં પાંચોટીયા આસ્થા, ધો. ૯ માં પૈજા શ્રુતિ અને ધો. ૧૧ માં ધામેચા દિશા પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કો ઓર્ડીનેટર આદ્રોજા ચિરાગ, ડો.કાંજીયાડો.દંતાલિયા ઇન્ચાર્જ કે.ની. મનન બુધ્ધદેવમાનસેતામારવાણિયાવાધેલાકાલરિયાદેલવાડિયાડાંગરએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ કાર્યક્રમનું સંચાલન કાલરિયા રમેશભાઈચંદ્રકાંતભાઈ બાવરવા તેમજ રિકિતભાઈ વિડજાએ કર્યું હતું.






Latest News