મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં ગેસ્ટ લેક્ચરમાં વિક્રમસિંહ ચૌહાણ વિદ્યાર્થીઓને આપી એગ્રીકલ્ચરની માહિતી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ક્લાસ-ગેસ્ટ લેક્ચરમાં ડિસ્ટ્રીકટ એગ્રીકલ્ચર ઓફિસર વિક્રમસિંહ ચૌહાણ આવ્યા હતા અને તેઓએ ધો. ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓને પોતાના વિષય એગ્રીકલ્ચર વિશે માહિતી આપી હતી. જેમાં તેમણે પોતાના જીવનથી લઈને પોતાના પ્રોફેસનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા સાથોસાથ કૃષિ શા માટે આપણા દેશ માટે મહત્વ ધરાવે છે.?, કૃષિ ક્ષેત્રે કેટલી તકો રહેલી છે? જેવા વિષયોને રસાળ શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ મૂક્યા હતા અને FPO-ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેશન વિશે માહિતી, કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે એગ્રીકલ્ચર સાથે જોડાય શકે છે ?, કૃષિ એ કઈ રીતે કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક ઉભી કરી શકે છે ?, કૃષિ ક્ષેત્ર કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પણ કઈ રીતે ઉપયોગી છે ? વિગેરે માહિતી આપી હતી અને આ કાર્યક્રમના અંતે નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુ વડસોલા અને નવનીત કાસુન્દ્રા દ્વારા વિક્રમસિંહ ચૌહાણનો આભાર કરવામાં આવ્યો હતો






Latest News